મનોમંથન

કરવા માંડે છે કામ જયારે કોઈ મૂડ પ્રમાણે,
થતું નથી હોતું એ પછી કદાચ રુલ પ્રમાણે,
ચેન્જીસ દરેકમાં આવે છે એ મને કે ન મને,
પણ જરૂરી બન્યા હોય છે એ પાસ્ટમાં થયેલી ભૂલ પ્રમાણે.

કરવા નીકળી પડે છે જે બીજાને એજયુકેટ રોજીંદી ટેવ પ્રમાણે,
ક્યારેક તો કરી લે વળી ઈવેલ્યુએટ એ પોતાની એ જાત ને.
પર્હેપ્સ એવું થાય કે મળી જાય પોતાની ભૂલ પોતાને જ,
તો થઇ શકે પોતાનું ભવિષ્ય ‘એક્ઝીક્યુટ’ પોતાની પહોચ પ્રમાણે.

વાસ્તવમાં નથી થઇ શકતું બધું કહેવાતી રુલ બૂક પ્રમાણે,
જેમ જમતો હોય છે માનવી પોતાને લાગેલી ભૂખ પ્રમાણે,
“ચિત્રેશ”જીજ્ઞાસાવૃત્તિ જ તો છે જે બનાવે છે વ્યક્તિને વિદ્વાન,
બાકી બધા જ હોત આજે વૈજ્ઞાનિક ‘ન્યુટન’ અને ‘જૂલ’ પ્રમાણે.

કહી ગયા મોટાઓ ઘણુંબધું તેમના અનુભવ અને રોલ પ્રમાણે,
પણ હકીકતમાં વર્તવું પડતું હોય છે દરેકને પોતાના ગોલ પ્રમાણે,
હા મોટાઓનો અનુભવ અને ‘એડવાઈસ’ એવા રસ્તા છે કે જેના પર,
જે ચાલે છે તે પામે છે મંજિલને જરૂર પોતપોતાનાં ‘પાવર’ અને જોમ પ્રમાણે.

Leave a comment